મોરબીના સામાકાંઠે મારમારીના બનાવમાં નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

- text


 

મોરબી : મોરબીના સામાકાંઠે ચાર માસ પહેલા બનેલી મારામારીની ઘટનામાં ફરાર રહેલા બે આરોપીઓને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી લીધા હતા.

- text

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલા મફતીયા પરામાં ચાર માસ પહેલા મારામારીની ઘટના બની હતી.તે સમયે બી ડિવિજન પોલીસે આ મારામારીના બનાવની ફરિયાદ નોંધીને એક આરોપીને ઝડપી લીધો હતો.પણ મારામારીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ નાસતા ફરતા હોવાથી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તેમજ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની સૂચનાને પગલે પેરોલ ફર્લો સ્કવોર્ડમાં ફરજ બજાવતા પો.હેડ કોન્સ.જયવતસિંહ ગોહિલ તથા પો.કોન્સ સહદેવસિંહ જાડેજાને મળેલી હકીકતના આધારે આ મારામારીના ગુનામાં ફરાર રહેલા બે આરોપીઓ ઇરાનભાઈ હજીભાઈ ખોડ, શાહરુખભાઈ હાજીભાઈ ખોડને ઉમા ટાઉનશીપ પાછળ ભીમસર નજીક ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text