જાણો..કપાસના પાકમાં ગુલાબી ઈયળનાં નિયંત્રણ માટે ખેડૂતોએ શું કરવું જોઈએ

- text


જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન

મોરબી : ચાલુ સાલમાં મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં કપાસ પાકનું વાવેતર થયેલ છે. કપાસ પાકમાં આવતી ગુલાબી ઈયળના નિયત્રણ માટે જરૂરી પગલા લેવા મોરબી જીલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે કે, મોજણી અને નિગાહ માટે હેકટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમેન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમેન ટ્રેપ દીઠ ૮ ફૂદા પકડાય તો કીટનાશકનો છટકાવ કરવો, ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેકટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ગોઠવવા ગુલાબી ઈયળના ઉપદ્રવ શરૂ થયેથી બિવેરિયા બેસિયાનાનો ૨૫ કિલો/હેકટર પ્રમાણે છટકાવ કરવો.

- text

નિયત્રિત પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય, જો ક્ષમ્યમાત્રા કરતા વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો રાસાણિક દવાઓ જેવી કે ક્વિનાલફોસ ૨૦ ઈ.સી ૨૦ મિલી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિલી અથવા સાયપરમેથ્રિન ૧૦ ઈસી ૧૦ મિલી, સાયપર મેથ્રિન ૨૫ ઈસી ૦૪ મિલી અથવા થાયોડીકાર્બ ૭૫ વે.પા. ૧૦ ગ્રામ, એમામેકટીન બેનઝોએટ ૫ એસ જી ૦૩ ગ્રામ પૈકીની કોઈ પણ એક જંતુનાશક દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડીયા પછી જંતુનાશક દવા બદલી બીજો છટકાવ કરવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી (પંચાયત)ની યાદીમાં જણાવાયું છે.

- text