જોધપર (નદી) ગામમાં ધન્વંતરિ રથ ફેરવી રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર જોધપર (નદી) ગામ મુકામે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેમજ લોકોમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ આવે એ માટે ગામમાં ધન્વંતરિ રથ ફેરવી અને લોકોમાં હોમિયોપેથીક આર્સીનેટ ૩૦ દવાનું વિતરણ કરવામા આવેલ હતું. તેમજ લોકોનું સ્ક્રિનિંગ કરીને તેમને કોરોના સામે શું શું પગલાં લેવા તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. આ કામગીરી લાલપર આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ. ડો. અંકિત ભીમાની, આરોગ્ય કર્મચારી દિલીપ દલસાનિયા, પિંકલબેન પરમાર અને હંસાબેન ઉભડિયા દ્વારા કરવામા આવી હતી.

- text

- text