મોરબીના પાનેલી ગામના તળાવમા ડૂબી જતાં તરુણનું મોત

- text


મોરબી : મોરબીના પાનેલી ગામના તળાવમા ડૂબી જતાં તરુણનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુળ ગામ પરબચતપુરા જિ જાલોન (ઉતરપ્રદેશ) ના વતની અને હાલ મોરબીના જાંબુડીયા ગામે આવેલ ઓલવીન સિરામિક કારખાનામાં રહેતા પ્રધ્ધુમન રાજાભૈયાજી ચૈાહાણ ઠાકુર (ઉ.વ.૧૬) નામના તરુણ ગઈકાલે તા.૩૦ ના રોજ સવારના આશરે દશ સાડા દશેક વાગ્યે કાલિકાનગરની બાજુમા આવેલ પાનેલી ગામના તળાવના પાણીમા ન્હાવા જતાઅ ઉંડા પાણીમા ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તરુણના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text