મોરબીમાં કર્ફ્યુ ભંગ કરતા 3 યુવાનોની અટકાયત

- text


મોરબી : અનલોક 1.0ની અંતિમ રાત્રીએ માળીયા ફાટક પાસેથી કર્ફ્યુની અમલવારી ન કરતા 3 યુવાનોને બી. ડીવી. પોલીસે અટકાવી કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

30 જુને અનલોક 1.0 અંતિમ રાત્રીએ મોરબી શહેર બી.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માળીયા ફાટક પાસેથી કર્ફ્યુનો ભંગ કરી અનિવાર્ય કામ વગર બહાર નીકળતા 32 વર્ષીય સદામ અનવરભાઈ બુખારી, રહે. રણછોડનગર, 28 વર્ષીય ઈમ્તિયાઝ જુનસભાઈ તૈલી રહે. રણછોડનગર તથા 26 વર્ષીય સુનિલ ગુણવંતભાઈ દેત્રોજા રહે. વાવડી રોડ વાળાને અટકાવી ત્રણેય સામે કલમ 188ના ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text