હડમતિયામાં ગત રાત્રે આવેલ ભુકંપના કારણે મકાનોમાં નુકશાની જોવા મળી

- text


ટંકારા : હાલમાં ચોમાસાના પણ મંડાણ થઈ ચુક્યા ટંકારા તાલુકાના હડમતિયા ગામે ગઈ રાત્રે ૮.૧૩ કલાકે આવેલ ભુકંપથી જાનહાની થઈ રહેવાના આહેવાલ સામે આવ્યા છે. ગામમાં આવેલ મકાન માલિક ચાવડા મનસુખભાઈ દેવજીભાઈના મકાનની દિવાલો જર્જરીત બની જતા ગમે ત્યારે મકાનની દિવાલ વરસતા વરસાદમાં થઈને ધ્વંશ થવાની ભીતીથી ગરીબ પરિવાર ફફડી ઉઠ્યો છે. જો આવુ બનશે તો આ પરિવાર આશરા વિનાના થઈ જશે. આ બાબતે ટંકારા ભુકંપ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સર્વે હાથ ધરી આગળની કાર્યવાહી કરવી જોઈએ. તેમ લોકો જણાવી રહ્યા છે.

- text