મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના નવા હોદ્દેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાના રાજપૂત કરણી સેનાના નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુક ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જે. પી. જાડેજાનાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા તેમજ પ્રદેશ અને સૌરાષ્ટ્રની ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.

- text

રાજપૂત કરણી સેના મોરબી જિલ્લાની ટીમમાં જિલ્લા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ રસિકસિંહ જાડેજા (સજ્જનપર), જિલ્લા પ્રભારી તરીકે દશરથસિંહ ઉદુભા ઝાલા (અદેપર), મોરબી શહેર પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ ઉપરાંત, ટીમમાં જિલ્લા મહામંત્રી તરીકે ઘનશ્યામસિંહ એસ. ઝાલા (રંગપર), શક્તિસિંહ ઉદયસિંહ જાડેજા (કેરાળી), મહાવીરસિંહ મનુભા જાડેજા (ભીમકટા), પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), ઉપપ્રમુખ તરીકે ભગીરથસિંહ ગુલાબસિંહ વાઘેલા (બગથરા), શક્તિસિંહ ફૂલુંભા જાડેજા (પીલુડી), રવિરાજસિંહ સજુભા ઝાલા (પંચાસર), પ્રતાપસિંહ મહિપતસિંહ જાડેજા (વિરપરડા) તેમજ સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ તરીકે જયપાલ સિંહ લક્ષ્મણસિંહ રાણા (તાવી) અને પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા (પંચાસર)ની નિમણુંક કરવામાં આવી છે.

- text