ટંકારાના પાંચ દુકાનદારો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

- text


 

ટંકારા : વૈશ્વિક મંદી કોરોનાને કારણે ગત રાત્રે જ વડાપ્રધાને સમગ્ર દેશમાં લોડાઉન જાહેર કર્યુ છે. તેમજ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક અમલવારી કરવાનુ જાહેર કર્યુ છે. તો પણ ટંકારા તાલુકાના પાંચ દુકાનદાર વેપાર કરતા હોવાથી પોલીસે જાહેરનામા ભંગના ગુના હેઠળ મહિલા ફોજદાર એલ. બી. બગડા અને પોલીસ ટિમ દ્વારા ટંકારા તાલુક ના પાચ દુકાનદાર વિરોધ કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે.

- text

જેમા હડમતીયાના બટુક શામજી ખાખરીયા, નેકનામના ગિરધર ગણેશ લોરીયા, રોહીશાળાના વાલજી મકન ચંદ્રાલા, નશિતપરના રાજેન્દ્ર હરજીવન કડીવાર, નાના ખીજડીયાના અકબર હાસમ ઉઠમણા સામે ગુન્હો નોંઘી કલમ ૧૮૮ મુજબ અટક કરી છે.

આ આરોપીઓએ ગુનો કર્યા બાદ બચાવ માટે રાજકીય આગેવાનોને ભલામણ કરવા આકડા ધુમેડયા હતા ત્યારે તમામ આગેવાનો એ રીતસરનો ઉધડો લઈ પોલીસની કામગીરી બિરદાવી હતી.

- text