- text
શિવ મહાપુરાણ કથામાં કાલે શિવ-પાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાશે
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રંધાન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં ગત તા. 8થી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેનો બહોળી સંખ્યામાં ભક્તો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે.
ગઈકાલે શિવ મહાપુરાણ કથા અંતર્ગત દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ અમિતગીરી ગોસ્વામી સહિતના સભ્યો દ્વારા તેમજ મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના પત્ની રેખાબેનના હસ્તે વ્યાસપીઠ સ્થાનેથી વક્તા બાળવિદુષી રતનબેનનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા આગેવાન સુરેશ શિરોહીયા હાજર રહ્યા હતા.
- text
ઉલ્લેખનીય છે કે આવતીકાલે શિવ મહાપુરાણ કથા અંતર્ગત શિવ-પાર્વતી વિવાહ પ્રસંગ ઉજવાશે. જેનો લાભ લેવા માટે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text