માટેલમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા કાલે ગુરુવારે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા આવતીકાલે તા. 6 ફેબ.ના રોજ સવારે 9 કલાકે ‘ઉગતા સૂરજના સુરે લાડલીનો આવકાર’ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી વાંકાનેરના પ્રાંત અધિકારી એન. એફ. વસાવા તથા મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ઉપસ્થિત રહેશે. આ કાર્યકરને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text