મોરબીના થોરાળા ગામે કાલે રવિવારે રામામંડળ

- text


મોરબી : મોરબીના થોરાળા ગામે આવતીકાલે રવિવારે રાત્રે 8 કલાકે ગૌશાળાના લાભાર્થે રામમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીઠડાઈ ગૌ સેવા મંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા આયોજક મનસુખભાઇ અમરશીભાઈ અંબાણી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text