મોરબી સિરામિક એસોસિએશન હોલમાં આવતીકાલે વેરા સમાધાન યોજના અંગે સેમિનાર

- text


મોરબી : મોરબી સિરામિક એસોસિયેશન અને અમદાવાદ એચ.ઓ. ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે મોરબી એસ.જી.એસ.ટી કચેરી દ્વારા આવતીકાલે તારીખ-18/12/2019 ને બુધવારના રોજ સાંજે 3:45 કલાકે મોરબી સિરામિક એસોસિયેશન હોલ, ઓમકાર પેટ્રોલ પંપ પાસે, લાલપર, મોરબી ખાતે રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલ વેરા સમાધાન યોજના 2019 વિશે સંપૂર્ણ માહિતી આપતો એક સેમિનાર રાખવામાં આવેલ છે. આ સેમિનારમાં અમદવાદ એચ.ઓ.માંથી સ્પેશિયલ કમિશ્નર સમીર વકીલ, એડીશ્નલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિ, ડેપ્યુટી કમિશ્નર એમ.કે. ભંડેરી સાહેબ હાજર રહી, નવી જાહેર કરાયેલ વેરા સમાધાન યોજના બાબતે વિસ્તૃત માહિતી આપશે. આ સેમિનારમાં સમયસર હાજર રહેવા તમામ મેમ્બરોને અપીલ કરાઈ છે. તેમજ વેટનું કામ કરતા કન્સલ્ટન્ટો, મોરબીના વિવિધ વેપારી મંડળો તાલુકા એસ.સી.એ એકાઉન્ટ એસોસીએશન તથા વેપારી વર્ગને સેમિનારમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવેલ છે.

- text