મોરબીની સંસ્થાઓ દ્વારા દિવાળી નિમિત્તે ગરીબોને કપડા વિતરણ કરાયું

- text


મોરબી : ગત તા. 27-10-19ના રોજ રવિવારે દિવાળીના દિવસે જ્યારે આખું મોરબી દિવાળીની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે રોટરી કલબ ઓફ મોરબી અને આયુર્વેદિક જીવનશૈલી – મોરબી દ્વારા દિવાળીના શુભ પર્વ પર મોરબીની અનેક ઝૂંપડપટ્ટીમાં જઈને ત્યાંના ગરીબોને કપડાંનું વિતરણ કરી દિવાળીનું અનોખું સેલિબ્રેશન કર્યું હતું.

આ સેવા કાર્યના આયોજક તથા પ્રોજેક્ટ ચેરમેન પારસભાઈ મહેતા અને તેમના પત્ની મેઘાબેન તથા રાજભાઈ પરમાર અને તેમના પત્ની ક્રિષ્નાબેન પરમાર તથા રોટરી કલબના પ્રમુખ રૂપેશભાઈ પરમાર (જલરૂપભાઈ), સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા, હરીશભાઈ શેઠ, અશોકભાઈ મહેતા, હુઝેફાભાઈ, રસીદાબેન, બંસીબેન શેઠ, રાજવીરસિંહ સરવૈયા, તાહિરભાઈ લાકડાવાલા, હુસેનભાઈ, હાતિમભાઈએ આ સેવા કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો.

- text

 

- text