મોરબી નજીક કાર પલટી મારી ગઈ : એકનું મોત, ત્રણને ઇજા

- text


રાજકોટથી મોરબી કારમાં આવતા મિત્રોને લજાઈ ચોકડી પાસે નડ્યો અકસ્માત

મોરબી : મોરબી નજીક લજાઈ ચોકડી પાસે ગત મોડી રાત્રે એક કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ચાર મિત્રો દિવાળીના મોડી રાત્રે આઈ ટવેન્ટિ કારમા રાજકોટથી પરત મોરબી ફરી રહ્યા હતા. ત્યારે રાત્રે 3 વાગ્યાના અરસામાં લજાઈ ચોકડી પાસે મધુવન હોટેલ નજીક કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં મિત કિશોરભાઈ કાલરીયા ઉ.વ.21નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અર્જુન લાભુભાઈ બાલાસરાને સામાન્ય ઇજા, રવીરાજસિંહ દિલીપસિંહ સેગલને તેમજ કીશન દિનેશભાઇ પોપટને ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ મામલે હાલ પોલીસે નોંધ કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text