થોરાળામાં શક્તિ યુવક મંડળ દ્વારા ધાર્મિક કાર્યોના લાભાર્થે નાટકનું આયોજન

- text


મોરબી : મોરબીના થોરાળા ગામમાં રામજી મંદિર ચોક ખાતે આગામી તા. 29/10/2019ના મંગળવારે ભાઈબીજના રોજ રાત્રે 9-30 કલાકે ધાર્મિક નાટક ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર યાને સતી તારામતી’ તથા ખડખડાટ હસાવે તેવું કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે શક્તિ યુવક મંડળ દ્વારા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.


 

- text