બરવાળા ગામે તળાવમાં બે બાળકોના ડૂબી જવાથી કરુણ મોત

- text


તળાવમાં નહાવા પડ્યા બાદ ઉડા પાણીમાં ગરક થઈ જતા આ કરુણાંતિકા સર્જાય

મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે આવેલા તળાવમાં આજે બે બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. બન્ને તરુણ વયના બાળકો તળાવમાં નહાવા પડ્યા બાદ ઉડા પાણીમાં ગરક થઈ જતા આ કરુણાતીકા સર્જાઈ હતી. આ બનાવને પગલે નાના એવા ગામમાં ભારે શોક વ્યાપી ગયો છે.

- text

આ કરુણ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા કાન્જી લખમણભાઈ ડાભી ઉ.વ.14 અને મોરબી તાલુકાના લૂંટાવદર ગામે રહેતા રાધે રમેશભાઈ રબારી ઉ.વ.15 નામના તરુણ વયના બે બાળકો બરવાળા ગામના તળાવમાં નહાવા પડ્યા હતા અને તળાવના ઉડા પાણીમાં ગરક થઈ જતા બન્ને બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. બાદમાં બન્ને હતભાગી બાળકોના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી ગઈ હતા અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બે તરુણ વયના બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થતા બન્ને હતભાગી બાળકોના પરિવારજનોમાં ભારે અરેરાટી મચી ગઇ હતી અને આ કરુણ બનાવને પગલે બરવાળા ગામે ભારે શોક વ્યાપી ગયો છે.

- text