મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન

- text


મોરબી : મોરબીમાં આગામી તા. 29 સપ્ટે.ના રોજ જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી સમાજના એલ.કે.જી.થી ધો. 12 સુધીના કુલ 193 વિધાર્થીઓને ઇનામ આપવામાં આવશે. આ સમારોહમાં લલીતાબેન રાઠોડ, નંદલાલ પરમાર સહિતના દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.આ સરસ્વતી સન્માન સમારંભનું ઉદ્ઘાટન નકલંક મંદિર, બગથળાના મહંત દામજી ભગત દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમના પ્રમુખ સ્થાને ધર્મેન્દ્રભાઈ નાગર તથા નંદલાલભાઈ પરમાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરશે. તેમજ જ્ઞાતિના પ્રમુખ નટવરલાલ ચૌહાણ, અગ્રણી પ્રદીપભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહેશે. આ આયોજનને સફળ બનાવવા માટે જાગા સ્વામી મિત્ર મંડલના નાથાભાઈ ઝાલા, કાંતિલાલભાઈ રાઠોડ સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે મોચી સમાજના જ્ઞાતિજનોને કાર્યક્રમનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text