- text
વાંકાનેર : વાંકાનેરના લિબડાધાર પાસે પગપાળા ચાલીને જઈ રહેલા રાહદારી યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી રાહદારી યુવાનનું મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- text
આ અકસ્માતના બનાવની વાંકાનેર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા અશોકભાઈ ચોથાભાઈ સરવૈયા ઉ.વ.33 નામનો યુવાન ગઈકાલે કોઈ કામસર વાંકાનેરના લિબડાધાર પાસે પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો.તે સમયે અજાણ્યા વાહન ચાલકે આ રાહદારી યુવાનને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ જીતુભાઇ ચોથાભાઈ સરવૈયાએ વાંકાનેર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે વાંકાનેર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text