મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા 17મીએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

- text


ગુજરાતમાં પ્રથમ વખત મોરબીમાં નવ નિર્માણ થનાર બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટ વિતરણનો ડ્રો અને તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ તેમજ બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાશે

મોરબી : ગુજરાતમાં સૌપ્રથમ વખત મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નહિ નફો અને નહિ નુક્શાનના ધોરણે સામાન્ય અને મધ્યમ પરિવારના ભૂદેવો માટે આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવલખી રોડ પર બનનારી બ્રહ્મપુરી સોસાયટી માટે પ્રથમ પ્લોટ વિતરણનો ડ્રો કરીને એકવર્ષમાં મકાનો બનાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે આગામી તા.17મીએ આ પ્લોટ વિતરણનો ડ્રોની સાથેસાથે સમાજના તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ અને બ્રહ્મચોર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તા.17ને શનિવારે ત્રીમંદિર, નવલખી રોડ પર મોરબી ખાતે બ્રહ્મપુરી સોસાયટીના પ્લોટ વિતરણનો ડ્રો અને સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ તેમજ બ્રહ્મચોર્યાસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમાત્માનદજી સરસ્વતીજી, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે, સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે, બ્રહ્મપુરી સોસાયટીના પ્રોજેકટ ચેરમેન દિનેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજના સાધારણ પરિવારોને ધરનું ધર બનાવવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે નહીં નફો અને નહિ નુક્શાનના ધોરણે પંચાસર રોડ પર બ્રહ્મપુરી સોસાયટી બનાવવાનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે.જેમાં પહેલા તમામ લોકોની હાજરીમાં પ્લોટ વિતરણનો ડ્રો કરીને એકવર્ષમાં આવાસો બનાવી દેવામાં આવશે.આ આવસોમાં સારા રોડ રસ્તા, મહાદેવનું મંદિર, શોપિંગ સેન્ટર, સીસીટીવી કેમેરાની સવલત આપવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

- text