- text
મોરબી : ત્રાજપર ચાર રસ્તા, જુના ઘુટુ રોડ પાસે શ્રી વિસામા વાળી મેલડી માતાજીનું મંદિર આવેલું છે. અગાઉ આ મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૨૦/૬/૨૦૧૯ ગુરૂવારના રોજ સવારે ૯:૦૦ કલાકે હવન, બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદ, તેમજ રાત્રે માંડલુ યોજાશે. જેમાં ભુવા ભક્તો સાથે દુહા-છંદ ડાક ડમરની રમઝટ બોલશે. જેના આયોજક ત્રાજપર ગામ સમસ્ત અને દેવજીભાઈ વરાણીયા, વિજયભાઈ વરાણીયા, તુલસીભાઈ પાટડીયા, જયેન્દ્રભાઈ વરાણીયા, રાજુભાઈ બારૈયા, સંજયભાઈ વરાણીયા, બાબુભાઈ સનુરા, મુબારકભાઈ ચૌહાણે સર્વ ધર્મપ્રેમી જાહેર જનતાને આ સમગ્ર કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.
- text
- text