મોરબીમાં રવિવારે ગર્ભ સંસ્કાર સેમિનાર

- text


 

મોરબી : મોરબીમાં આગામી તા. ૫ને રવિવારના રોજ ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિલેશ જોગલ અને ડો. દેવાંગી જોગલ વકતા તરીકે ઉપસ્થિત રહેવાના છે.

- text

મોરબીના સરદાર નગર ખાતે આવેલા ટાઉનહોલમાં આગામી તા. ૫ને રવિવારના રોજ રાત્રે ૮:૧૫ થી ૧૦:૩૦ દરમિયાન ગર્ભ સંસ્કાર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં દરેક નવદંપતિઓ તથા જેઓ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે તેવા દંપતીઓ અથવા પ્રેગ્નન્ટ છે તેવા બહેનોને જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સેમિનારના પાસ પુરુષાર્થ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, કોહિનૂર કોમ્પલેક્ષ, દુકાન નં. ૫૮, રવાપર કેનાલ ચોકડી, રવાપર રોડ ખાતેથી મળશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. ૯૯૨૫૨ ૮૬૩૦૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text