મોરબી : કોર્ટના બે કર્મચારીઓએ પ્રામાણિકતા દાખવીને મળેલા રૂ. ૮ હજાર પરત કર્યા

- text


 

મોરબી : મોરબીમાં કોર્ટમાં કામ કરતા બે કર્મચારીઓને રૂ. ૮ હજાર મળી આવ્યા હતા. ત્યારે આ બન્ને કર્મચારીઓએ આ રૂપિયા મૂળ માલિકને પરત આપીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયુ છે.

- text

મોરબીમા એક વ્યક્તિના રૂ. ૩૦ હજાર પડી ગયા હતા. જેમાંથી રૂ. ૮ હજાર કોર્ટમા ફરજ બજાવતા રજાકભાઈ ઇશાભાઈ માલવત અને જયંતિભાઈ મોહનભાઇ પટેલને મળ્યા હતા. ત્યારે આ બન્ને કર્મચારીઓએ ઈમાનદારી દાખવીને મૂળ માલિકને પરત પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text