મોરબીમા શહીદોના પરિવારોને માનભેર બોલાવીને તમામ સંસ્થાઓ ફાળો અર્પણ કરાશે

- text


શહીદો માટે ફાળો એકત્ર કરનાર તમામ સંસ્થાઓને આ કાર્યક્રમમા જોડાવા સીરામીક એસોસિએશનનું આહવાન

મોરબી : મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરવામા આવ્યો છે. આ ફાળો શહીદોના પરિવારને માનભેર મોરબી બોલાવીને હાથોહાથ આપવામાં આવનાર છે. ત્યારે શહીદો માટે ફાળો એકત્ર કરનાર તમામ સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવા માટે સીરામીક એસોસિએશન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

મોરબી સિરામીક એશોસીએસન દ્વારા પુલવામા ખાતે હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરીવારને આર્થિક ફાળા માટે ધનરાશી એકઠી કરવામાં આવી છે. આ સાથે જીલ્લાના વિવિધ એસોસિએશનો જેમા ડોકટર , શિક્ષણ વિભાગ, કલોક એશોસીએસન , પાર્ટસ એશોસીએસન, પેપરમીલ જેવા સંગઠનો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ જેવી કે માતૃભુમી વંદના, ક્રાંતિકારી સેના, પયાર્વરણ પ્રેમી વગેરે સંસ્થાએ પણ શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કર્યો છે.

- text

આ તમામ સંસ્થાઓ સાથે મળીને મોરબીમા શહિદોના પરીવારોને રૂબરૂ બોલાવીને હાથોહાથ સહાય અર્પણ કરવા માટેનું આયોજન ઘડવા એક મિટિંગ પણ યોજાનાર છે. માત્ર મોરબી સિરામીક એશોસીએસન જ નહી પણ મોરબી જીલ્લાની તમામ સંસ્થાઓ સાથે મળીને મોરબીમા શહીદોના પરિવારોના લાભાર્થે એક ભવ્ય કાર્યક્રમ યોજે તે હેતુથી તમામ સંસ્થાઓએ સાથે આયોજન કરવાનુ છે.

મોરબીની જે સંસ્થાઓએ શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કર્યો હોત તેને ફાળાનો આંકડો , સંસ્થાનુ નામ વગેરે માહીતી મો.નં. 9727570850 ઉપર વોટસએપ કરવા જણાવાયુ છે. મોરબી ફકત ઉધોગમા જ નહી પરંતુ રાષ્ટ્ર માટે પણ કટીબધ્ધ છે અને બધા એકજ છીએ તેનુ એક ઉદાહરણ પુરૂ પાડવા માટે આ કાર્યક્રમમાં જોડાવા તમામ સંસ્થાઓને સીરામીક એસોસિએશન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text