- text
મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા પુલવામાં ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા આગામી તા. ૨૩ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કાશ્મીરના પુલવામાં ખાતે તાજેતરમાં સીઆરપીએફના જવાનો પર આત્મઘાતી હુમલો થતા ૪૪ જવાનો વીરગતિ પામ્યા છે. આ શહીદોને શ્રધાંજલિ પાઠવવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સોસાયટી અંતર્ગત આગામી તા. ૨૩ને શનિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના સૌજન્યથી આયોજિત આ રક્તદાન કેમ્પ આંગણવાડી મોરબી તાલુકા, પોલીસ લાઇન ખાતે સવારે ૯ થી ૨ વાગ્યા સુધી યોજાશે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text