મોરબી : સ્વ.ધર્મીન અને સ્વ.પ્રીતને અપાઈ રકતદાન રૂપી શ્રદ્ધાંજલિ

- text


મોરબી: કલોલ નજીકની કેનાલમાં મોરબીના ઉદ્યોગપતિઓના બે આશાસ્પદ યુવાન પુત્રોના મૃત્યુ બાદ આજે સ્વર્ગસ્થ યુવાનોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો.

રવાપર ચોકડી નજીક મહાવીર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વહેલી સવારે આઠ વાગ્યાથી જ રક્તદાતાઓની લાઈનો લાગી હતી. મોરબીના સીરામીક એકમના ઉદ્યોગકારો, આગેવાનો તેમજ પરિચિતો, યુવાનોના મિત્રગણ સહિતના લોકોએ રક્તદાન કરીને બન્ને જીગરજાન મિત્રોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલ રક્તદાન કેમ્પમાં આ લખાય છે ત્યારે બાર વાગ્યા સુધીમાં અસંખ્ય લોકોએ રક્તદાન કર્યું હતું. એકઠું થયેલું અમૂલ્ય રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલમાં જમા કરાવવામાં આવનાર છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text