મોરબીમાં સીડી પરથી પટકાતા સગીરાનું મોત

- text


મોરબી : મોરબીના લખધીરવાસમાં રહેતી સગીરા તેના ઘરે સીડી પર ઉતરતી વખતે નીચે પટકાતા તેણીનું રાજકોટ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરવાસમાં આવેલ ભવાનીચોકમાં રહેતી રાધિકાબેન વિશાલભાઈ રાયગગલાં ઉ.વ.16 નામની સગીરા ગત તા.28ના રોજ સવારે 5 વાગ્યે પોતાના ઘરની સીડી પરથી ઉતરતી હતી.તે વખતે અકસ્માતે તે સીડી પરથી નીચે પટકાતા તેણીને ગંભીર ઇજાઓ થવાથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text