મોરબીમાં કાલથી શ્રીમદ ભાગવત કથા તથા વિષ્ણુ યાગ

- text


મોરબી : મચ્છુનગર નેહડા સમસ્ત તથા સર્વે ભાવિક જનો દ્વારા તા.30 થી 5 જાન્યુઆરી સુધી દરરોજ રાતે 8-30 થી 11-30 દરમ્યાન હનુમાન મંદિર ,મચ્છુનગર, કેનાલ ચોકડી, બાયપાસ, સરદારનગર, સોસાયટી-3 સામે મોરબી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વલદાસ બાપુ કથાનું રસપાન કરાવશે. જ્યારે તા.5ને શનિવારે સવારે 8-30 વાગ્યે વિષ્ણુ યાગ તથા તા.6ને સ્વીવારે થાકરનો પાટ યોજાશે. આ કાર્યક્રમોનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.વધુ વિગતો માટે હીરાભાઈ નાનુભાઈ પરસાડીયા 72039 15050 પર સંપર્ક સાધવો.

- text