મોરબીના બેલા ગામ નજીક રામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાની પુર્ણાહુતી

- text


રક્તદાન કેમ્પ. ધર્મસભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર ભાગ લીધો.ધારાસભ્ય મેરજાએ હાજરી આપી 

મોરબી : બેલા ગામ નજીક હનુમાન મંદિરે ચાલતી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાની સંપન્ન થઈ છે.જેમાં રક્તદાન કેમ્પ.ધર્મસભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લીધો હતો.

- text

મોરબીના બેલા ગામથી તાલાવીયા શનાળા રોડ પરના કેડીયા હનુમાનજી મંદિર ખાતે તાજેતરમાં કેડીયા હનુમાનજી અન્નક્ષેત્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉમબા કિરીટસિંહ ઝાલા તથા રંગપર, બેલા, તળાવીયા શનાળા ગામ સમસ્ત તથા સર્વે ભક્તો દ્વારા શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા વ્યાસપીઠ પર ઋષિકુમારીજીએ રામ કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ આધ્યાત્મિક વાણીને ગ્રહણ કરી હતી.રામ કથા નિમિતે રક્તદાન કેમ્પ, ધર્મસભા મહાપ્રસાદ સહિતના સામાજિક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.આ રામકથામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા હાજરી આપીને કથા શ્રવણનો લાભ લઇ દિવ્યતા અનુભવી હતી

- text