વાંકાનેરમાં કુવાડવા રોડ ઉપર બ્રીજના કામને લીધે વાહનોને પ્રવેશ બંધી

- text


૩૦ મે સુધી વૈકલ્પિક રૂટ ઉપર ડાઈવર્ઝન ઉપરથી વાહનો પસાર કરવા જાહેરનામું

મોરબી : વાંકાનેર શહેરમાં કુવાડવા રોડ ઉપર જવા માટે બ્રિજનું કામ શરૂ કરાતા આ માર્ગ ઉપર વાહનોને પ્રવેશબંધી અંગેનું જાહેરનામું અમલી બનાવાયું છે અને તમામ વાહનોમે વૈકલ્પિક રૂટ ઉપર પસાર થવા હુકમ કરાયો છે.

માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના વાંકાનેર શહેરમાં નેશનલ હાઈવેથી વાકાનેર-કુવાડવા રોડ પર બ્રીજના કામનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. અને આ સ્થળ પર ડાયવર્ઝન શક્ય નથી આ રસ્તો બંધ કરવો પડે તેમ છે. આથી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.માકડીયાએ તેમને મળેલ સત્તા ની રૂએ એક જાહેરનામું બહાર પાડીને આ મુજબ વાહનો ડાયવર્ટ કરવા હુંકમ કરેલ છે.

- text

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં નેશનલ હાઈવેથી વાંકાનેર-કુવાડવા રોડ પરના બ્રીજ તરફ અવર-જવર કરતા તમામ પ્રકારના વાહનો આ બ્રીજ ઉપરથી તા. ૩૦/૦૫/૨૦૧૯ સુધી પસાર થઈ શકશે નહી. આના વૈકલ્પિક રૂટમાં વાહનોએ પ્રતાપ રોડ થઈને મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ પાસે આવેલ બાપુના બાવલા પાસે થઈ કુવાડવા રોડ થઈને પસાર થવાનું રહેશે અને કુવાડવા રોડ તરફ આવતા તમામ પ્રકારના વાહનોએ આ રોડ ઉપરથી વાંકાનેર નેશનલ હાઈવે જવા પસાર થવાનું રહેશે આ હુંકમનો ભંગ શિક્ષા પાત્ર થશે.

- text