લજાઈ ચોકડી નજીક કતલખાને લઈ જવાતા ૨૦ બળદ બચાવાયા

- text


ટંકારા : ટંકારાની લજાઈ ચોકડી નજીકથી જીવદયા પ્રેમીઓ દ્વારા કતલખાને લઈ જવાતા ૨૦ બળદોને બચાવી લઈ ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાની લજાઈ ચોકડી નજીક કતલખાન લઈ જવાતા ૨૦ જેટલા ગૌવંશ (બળદો) ને અખિલ વિશ્વ ગૌ સવર્ધન પરિષદ, લજાઈ ગૌરક્ષક મંડળ અને શિવસેના દ્વારા અટકાવ્યા હતા અને આ મામલે ટંકારા પોલીસને જાણ કરતા ટંકારા પોલીસ ઘટના સ્થળે આવવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text