મોરબી જલારામ મંદીર દ્વારા જન્માષ્ટમી નિમિતે ફરાળ પ્રસાદનુ વિતરણ કરાયું

- text


ધારાસભ્ય મેરજા સહીતના આગેવાનોએ ભક્તજનો ને પ્રસાદ વિતરણ કર્યો

મોરબી : જન્માષ્ટમીનો પાવન પર્વ હોય કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે મોરબીમાં પરંપરાગત રૂટ મુજબ શહેરના રાજમાર્ગો પર જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળી હતી તેમજ વિવિધ સ્થળોએ મટકીફોડ દ્વારા કૃષ્ણ જન્મોત્સવને વધાવવામા આવ્યો હતો. આ શોભાયાત્રા દરમિયાન શહેરના તમામ કૃષ્ણ ભક્તોને ફરાળ પ્રસાદ મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રસાદ વિતરણ કરવામા આવ્યુ હતુ તે ઉપરાંત અયોધ્યા પુરી ગરબી મંડળ દ્વારા લીંબુ શરબતનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, કે.પી. ભાગીયા, હરીલાલ દસાડીયા, ભાવીનભાઈ ઘેલાણી સહીતના આગેવાનોએ શોભાયાત્રાનુ સ્વાગત કર્યુ હતુ તેમજ પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

- text

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હસુભાઈ પુજારા, કીશોરભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, રમણીકભાઈ ચંડીભમ્મર, જે.આઈ. પુજારા, કાજલબેન ચંડીભમ્મર, પાયલ રાચ્છ, ડેનિશ કાનાબાર, સુકેતુ દોશી, ભાવનાબેન સોમૈયા, અનિલ ગોવાણી, ચુનીભાઈ મચ્છોયા, અમિત પોપટ, હીતેશ જાની, રાજુભાઈ ગણાત્રા, ચંદ્રવદનભાઈ પુજારા, નિર્મિત કક્કડ, પપ્પુભાઈ ચંડીભમ્મર, અનિલભાઈ સોમૈયા, દીનેશ સોલંકી, ફીરોઝભાઈ સહીતના આગેવાનોએ જહેમત ઉઠાવી હોવાનું જલારામ મંદિરના યુવા આગેવાન નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text