મોરબીમાં અનુ. જાતિના આગેવાનો પર થયેલ ફરિયાદ રદ કરવાની માંગ

- text


સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું કલેકટરને આવેદન

મોરબી : મોરબી પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા તાજેતરમાં અનુસૂચિત જાતિના આગેવાનો પર છેડતી અને ફરજમાં રુકાવટની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ ફરિયાદ પાછી ખેંચી લેવાની માંગ સાથે ટંકારા તાલુકાના અગ્રણીએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

ટંકારા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ લાધવાએ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા અને પોલીસ તંત્રએ મળીને દલિત આગેવાન રાજેશભાઇ ચૌહાણ, મુળજીભાઇ સોલંકી તથા આર.એમ. પરમાર વિરૂદ્ધ ષડયંત્ર પૂર્વક ફરજમાં રૂકાવટ તથા ખોટી ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે આ ખોટી ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ છે.

- text

- text