રફાળેશ્વર નજીક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત

- text


મોરબી : મોરબી નજીક રફાળેશ્વર પાસે હાઈવે પર અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.

બનાવની વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા ચંદ્રેશ ભગવાનજીભાઈ માકાસણા (ઉ.૩૪) ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના અરસામાં મોરબીના રફાળેશ્વર નજીકથી પોતાનું મોટર સાઈકલ જીજે ૩૬ ઈ ૪૯૭૨ લઈને જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક નંબર આર જે ૨૨ જીપી ૨૦૨૧ ચાલકે તેને હડફેટે લેતા તેના માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text