સૈન્યમાં જોડાવા માટે મોરબીના યુવાનો માટે વિનામુલ્યે તાલીમ વર્ગ

- text


મોરબી : ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે આગામી તા.૨૬/૪/૨૦૧૮ થી તા.૫/૫/૨૦૧૮ દરમિયાન રાજકોટ મુકામે આર્મી રીક્રુટીંગ ઓફીસર જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે, જેને લક્ષમાં લઇને રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા ૧૫ દિવસના ની:શુલ્ક તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૦૧/૦૪/૨૦૧૮ થી મોરબી ખાતે કરવામાં આવનાર છે.

ભારતીય સૈન્યમાં જોડાવા માટેના આ તાલીમ વર્ગોમાં શારીરિક ક્ષમતા માટેની રોજની ૨ કલાકની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે.

- text

સદર તલીમ વર્ગમાં જોડાવા માટે યોગ્ય શારીરિક ક્ષમતા, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા, અપરિણિત પુરુષ ઉમેદવારો (અપંગો સિવાય) એ તા.૨૮/૦૩/૨૦૧૮ સુધીમા રોજગાર વિનિમય કચેરી, મોરબીનો સ્વખર્ચે રુબરુ સંપર્ક સાધવો તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

- text