મોરબી : PGVCL દ્વારા એપ્રેન્ટિસ લાઈનમેનની ભરતી પ્રકિયા યોજાઈ

- text


મોરબી : મોરબી PGVCL દ્વારા એપ્રેન્ટિસ લાઈનમેનની જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં 120 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.

- text

મોરબી PGVCL દ્વારા એપ્રેન્ટિસ લાઈનમેનની જગ્યા ભરવા માટે મોરબી જીલ્લાની રોજગાર કચેરીમાંથી ઉમેદવારોના નામ મંગાવી મોરબી પીજીવીસીએલ વર્તુળ કૅચેરી દ્વારા કુલ 312 ઉમેદવારોને કોલ લેટર મોકલી તા.27 અને 28 ના રોજ સદર જગ્યાની ભરતી પ્રક્રિયા માટે બોલવામાં આવેલ. જેમાં આશરે 120 ઉમેદવારો હાજર રહેલ. જેમની PGVCLના નિયમ મુજબ જુદી જુદી રીતે પરીક્ષા લઈ તેમાંથી યોગ્ય ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પીજીવીસીએલ વર્તુળ કૅચેરી મોરબી દ્વારા હાથ ધરવામાં આવેલ. જેથી વર્ષ 2018 માં આશરે 40 ઉમેદવારોને એપ્રેન્ટિસ લાઈનમેન તરીકે એક રોજગારી આપવામાં આવશે.પીજીવીસેએલ કંપની દ્વારા આ કાર્યવાહી દર વર્ષ ભારત સરકારના એપ્રેન્ટિસ એકટના ધારા ધોરણ મુજબ કરવામાં આવે છે.

 

 

- text