- text
મોરબી : સંધિવા તથા ચિકનગુનિયાના દર્દીઓ માટે આગામી તા.૨૧ ને રવિવારે મોરબીમાં પ્રખ્યાત રયુમેટોલોજીસ્ટ દ્વારા વિનામુલ્યે નિદાન કરી દવા આપવામાં આવશે.
મોરબીની આયુષ હોસ્પીટલના સહયોગથી આગામી તા. ૨૧ ને રવિવારના રોજ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ ખાતે વા, સંધિવા, ફરતો વા તથા ચિકનગુનિયાના નિદાન તથા સારવાર માટે જાણીતા રયુમેટોલોજીસ્ટ તબીબ ડો. ભાવિન ભટ્ટ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે તપાસી નિદાન કરી જરૂરી દવા પણ વિનામૂલ્યે આપશે. આથી જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.
- text
- text