મોરબી : શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સોમવારે ધરણા પ્રદર્શન

- text


ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિનાં આદેશાનુસાર તથા મોરબી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ સંઘ દ્વારા તા. ૧૦ જુલાઈ સોમવારનાં રોજ બપોરે ૩ વાગ્યે કલેકટર શ્રી મોરબીને આવેદનપત્ર તથા ડીઈઓ કચેરી મોરબી ખાતે બપોરે ૪થી ૫ એક કલાક મૌન ધરણાનો કાર્યક્રમ છે. સંકલન સમિતિ વતી આ કાર્યક્રમમાં દરેક તાલુકાનાં સભ્ય, કન્વીનર, શિક્ષકો અને આચાર્યોએ ભાગ લેવા સંકલન સમિતિનાં પ્રમુખ લાલજીભાઈ કગથરા , મહામંત્રી હુશેનભાઈ ચૌધરી અને મંત્રી ત્રિભોવનભાઈ બાવરવાએ જણાવ્યું છે.

- text

- text