મોરબી : ખનીજ માફિયાનો સરપંચ પર હુમલો

- text


મોરબી : આંદરણા ગામના સરપંચ રસિકભાઈ દંતાલિયાએ તાલુકા પોલીસને ફરિયાદ નોંધાવી છે કે, દિનેશ દેસાઈ, જયસુખ દેસાઈ અને ભરત દેસાઈ એ ત્રણેય શખ્શો ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ખનીજનું ખનન કરે છે. જેથી ગામના સરપંચ હોવાના નાતે ફરિયાદી રસિકભાઈએ ખનીજ ચોરી થતી હોય તેના ફોટો મોબાઈલમાં પાડતા હોવાથી સારું નહિ લાગતા ત્રણેય આરોપીએ તેને માર મારી ગાળો આપી હતી તેમજ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી ત્રણેય આરોપીને જડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text