મોરબીમાં રવિવારે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી સારવાર કેમ્પ યોજાશે

- text


દર્દીઓને સારવાર સાથે ફ્રી દવાનું પણ વિતરણ 

ઓમ શાંતિ વિદ્યાલય, સરદારબાગ સામે, શનાળા રોડ ખાતે સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી કેમ્પ યોજાશે

- text

મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા તા.૧૪ મે રવિવારના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને સારવારની સાથે ફ્રી દવાઓ પણ આપવામાં આવશે.
મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા માતા મણીબેન વનેચંદ દોશી તથા માતા શારદાબેન નવીનચંદ દોશીની પુણ્ય સ્મૃતિમાં તા.૧૪ મે ના રોજ ફ્રી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના સ્પેસ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા હાડકાના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા, મણકાના દુખાવા, સાયટીકા તથા થાપાના દુખાવા અન્ય રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવશે. તથા દર્દીઓને દવાઓ પણ ફ્રી આપવામાં આવશે. આ કેમ્પ ઓમ શાંતિ વિદ્યાલય, સરદારબાગ સામે, શનાળા રોડ ખાતે સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી યોજાશે. તેથી આ સારવાર કેમ્પનો લાભ લેવા સર્વેને અપીલ કરવામાં આવી છે. નિદાન માટે નામ નોંધવા ભાવેશભાઈ દોશી મો.૯૯૨૫૨૦૦૦૨૬, જયંતીભાઈ જે.દંગી મો.૯૪૨૯૨૪૩૯૭૪, હર્ષદભાઈ મો.૯૮૯૮૮૮૬૫૮૫ સાથે સંપર્ક કરવો.

- text