મોરબી : વ્યાજખોરએ પૈસા પરત ન મળતાં યુવક સાથે મારામારી કરી

- text


મોરબી : વ્યાજખોરએ પૈસા પરત ન મળતાં યુવક સાથે મારામારી કરી હોવાથી યુવકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજે નાણાં આપનાર સામે ફરિયાદ નોંધાવી છે.

- text

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મીતભાઇ વિજયભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૩, ધંધો મજુરી, રહે. મોરબી-નવલખી રોડ, રણછોડનગર, શંકર ભગવાનના મંદીર પાસે)એ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીએ દાદીમા બિમાર હોવાથી પૈસાની જરૂરીયાત ઉભી થતા આરોપી રવિ બોરીચા (મોરબી, કામધેનુ પાર્ટી પાસે, આનંદનગર સોસાયટી પાસે) પાસેથી એકાદ વર્ષ પહેલા વ્યાજ દરે પૈસા લીધેલ હોય, જે પોતે ઉચા વ્યાજ દરના લીધે આર્થીક ભીંસના કારણે ભરી શકેલ નથી. જેથી, ગત તા. ૨૧/૧૨/૨૦૧૯ના રોજ આરોપીએ પોતે વ્યાજે રૂપીયા આપવાનું લાયસન્સ ન ધરાવતા હોવા છતા ફરીયાદીને ઉચા વ્યાજે રૂપીયા આપેલા તેની પઠાણી ઉઘરાણી કરી ઝપાઝપી કરી થપ્પડ મારી ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text