- text
મોરબી : મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી પાસે આવેલ શંકર ભગવાનના મંદિરમાંથી ત્રીસ હજારના નાગની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગત અનુસાર મોરબી અવની ચોકડીએ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતાં જસમતભાઈ ભીમજીભાઈ અઘારા જાતે પટેલ ઉ.વ.63 એ એ ડીવીઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે કે નરસંગ ટેકરી પાસે આવેલ મંદીરમાં ગત તા.02/10/2018 ના રાજ બપોરના 12 થી 12.30 વચ્ચેના ગાળામાં કોઈ અજાણ્યો ઈસમ ગેરકાયદેસર પ્રવેશ કરી શંકર ભગવાનના મંદિરમાં આવેલ શિવલીંગ પર ચડાવેલા આશરે 900 ગ્રામ ચાંદીનો નાગ કિંમત રૂપિયા 30,000/-ચોરી ગયા છે જેમાં એ ડીવીઝન પોલીસે જસમતભાઈ અઘારાની અરજી પરથી અજાણ્યા ઈસમ વિરૃદ્ધ ચોરીનો ગુનો નોંધી ચોરોનું પગેરૂ મેળવવાં કવાયત હાથ ધરી છે વધુ તપાસ એ ડિવિઝન પીએસઆઈ એમ.વી.પટેલ ચલાવી રહ્યાં છે.
- text
- text