મોરબી જલારામ મંદિરના અગ્રણીઓનું સન્માન કરાયું

- text


મોરબી : મોરબીમાં આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અવિરત સેવા આપવા બદલ સંસ્થા દ્વારા જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ આ પ્રસંગે મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

- text

મોરબી શહેરનાં ગોકુળના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિરની સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓની અવિરત સેવા બદલ સંસ્થા દ્વારા શાલ તેમજ સન્માન પત્ર અર્પણ કરી સપ્તાહના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતના દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

- text