હનુમાન જયંતિ નિમિત્તે મોરબીમાં સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

- text


મોરબી : મોરબીના બજરંગ યુવક મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે તારીખ 22 અને 23 એપ્રિલના રોજ ભવ્ય સંતવાણી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં રવાપર રોડ પર રામકો બંગ્લોઝની સામે આવેલી બજરંગ સોસાયટીના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે.

- text

મોરબી ખાતે બજરંગ યુવક મંડળ દ્વારા સંતવાણી કાર્યક્રમ તારીખ 22 એપ્રિલ સોમવારના રાત્રે 9:30 કલાકે કૈલાશ પુરી ગોસાઈ (ભજનીક), યોગેશ મહારાજ (ભજનીક) ભરત પટેલ (સાહીત્યકાર), જોગીરાજ પડાણાંવાળા (બેન્જોમાસ્તર) ગોરવા મીસ્ત્રી (ઉસ્તાદ), ભાવિન મારૂ (ઉસ્તાદ), રામભાઈ (મંજીરા) દ્વારા યોજાશે. જ્યારે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ સવારે 6 કલાકે 108 હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન સાંજે 5:30 કલાકે, ધ્વજા રોહણ સાંજે 6:30 કલાકે, મહા આરતી સાંજે 7 કલાકે તેમજ મહા પ્રસાદ સાંજે 7:30 કલાકે રાખવામા આવ્યો છે. ત્યારે આ ધાર્મિક પ્રસંગે સહભાગી થવા નિમંત્રણ પાઠવાયું છે.

- text