મોરબી જલારામ મંદિર ખાતે અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત કરાયું

- text


મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનનું ખાતમૂહુર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાં અગ્રણીઓની હાજરીમાં યોજાયું હતું. અન્નપૂર્ણા ભુવનના મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવારના હિરેન્દ્ર અમૃતલાલ દોશીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

- text

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનના નિર્માણ કાર્યનો શુભારંભ ખાતમૂહુર્ત દ્વારા કરવામાં આવ્યો છે. આ અન્નપૂર્ણા ભવન સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહીતની સુવિધાઓથી સુસજ્જ રહેશે. ખાતમૂહુર્ત પ્રસંગે હિરેન દોશી, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દિલુભા જાડેજા, ધીરજલાલ હિરાણી, હસુભાઈ રાચ્છ, રીટાબેન રવાણી, ડો.પારેખ સાહેબ, રમેશ સચદેવ, અજીતભાઈ શેઠ, ભગવાનજીભાઈ શાહ, જયેશ ટોળીયા, લલીત ચંદારાણા, અનીલ ચંડિભમર, કીશોરભાઈ ચંડિભમર, સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text