કોંગ્રેસે વધુ 3 ઉમેદવારો કર્યા જાહેર : સુરેન્દ્રનગરમાંથી ઋત્વિક મકવાણા લડશે ચૂંટણી

- text


જૂનાગઢ બેઠક માટે હીરાભાઈ જોટવા અને વડોદરા બેઠક માટે જશપાલસિંહ પઢીયારના નામની જાહેરાત

હળવદ : કોંગ્રેસ દ્વારા ગુજરાતની વધુ 3 બેઠક ઉપર ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર બેઠક ઉપર ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

- text

કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રની 2 સહિત કુલ 3 બેઠક માટે આજે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા બાદ કોંગ્રેસમાંથી કોણ તેની સામે સૌની મીટ મંડાયેલી હતી.જેમા આજે મોડી સાંજે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ બેઠક ઉપરથી હીરાભાઈ જોટવા અને વડોદરા બેઠક ઉપરથી જશપાલસિંહ પઢીયારના નામની જાહેરાત કરવામાં આવી છે.

- text