મોરબી અધિક કલેકટર તરીકે એસ.જે.ખાચરની નિમણુંક

- text


એન.કે.મૂછારની બદલી બાદ ખાલી પડેલી જગ્યા ભરાઈ

મોરબી : રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે બે જીએએસ કેડરના અધિકારીઓની બદલીનો હુકમ કરાયો છે જે અન્વયે મોરબી અધિક કલેકટરની ખાલી પડેલી જગ્યા ઉપર રાજકોટના એડિશનલ ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરની નિમણુંક કરવામાં આવી છે.

- text

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલ બદલી ઓર્ડર અંતર્ગત રાજકોટના એડિશનલ કલેકટર એસ.જે.ખાચરને એડિશનલ કલેકટર મોરબી ખાતે અને નવસારી કલેકટર કે.જી.વાઘેલાની ડીઆરડીએ ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, મોરબી અધિક કલેકટર તરીકે નિમણુંક પામેલ એસ.જે.ખાચર અગાઉ મોરબી પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

- text