મોરબીના રાજપર ગામે બદ્રકિયા પરિવારોનો 20મીએ નવચંડી યજ્ઞ

- text


મોરબી : મોરબીમાં વસતા સમસ્ત ગુર્જર સુતાર બદ્રકિયા પરિવારોના આગામી 20 ડિસેમ્બરે બુધવારના રોજ મોરબીના રાજપર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢે કુળદેવી શ્રી ચામુંડા માતાજીના નવચંડી યજ્ઞનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ પૂજા, હોમ હવન, શ્રીફળ હોમાંદિક સહિતના ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો તેમજ મહાપ્રસાદ યોજાશે. જ્યારે સમસ્ત ગુર્જર સુતાર બદ્રકિયા પરિવારોના ધો.1થી 12 સુધીના તેજસ્વી છાત્રોનું સન્માન કરી ઇનામ વિતરણ સમારોહનું આયોજન થનાર હોય આ તેજસ્વી વિદ્યાર્થીઓએ તા.1/2/2024થી તા.1/5/2024 સુધીમાં માર્કશીટની નકલ મોરબીના રાજપર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢે પહોંચાડી દેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text