સાંસદ ચાવડા પગરખાકાંડના પીડિતની મુલાકાત નહીં લ્યે તો આશ્ચર્યજનક કાર્યક્રમ કરીશું : NSUI

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે શનિવારે સ્નેહમિલનના કાર્યક્રમમાં આવી રહેલા સાંસદ વિનોદભાઈ ચાવડા જો પગરખાકાંડના પીડિતની મુલાકાત નહિ લ્યે તો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની NSUI દ્વારા ચીમકી આપવામાં આવી છે.

આવતીકાલે કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમા એક સ્નેહમિલનના કાર્યક્રમમાં આવી રહ્યા છે. જેથી મોરબી જિલ્લા N.S.U.I. દ્વારા એક જાહેર માંગણી કરવામાં આવે છે કે તેઓ મોરબીમા બનેલી ઉનાકાંડ જેવી ચકચારી ઘટનામા પીડિત તથા તેના પરિવારજનોની મુલાકાત લ્યે અને પીડિતને ન્યાય આપવાની ખાત્રી આપે અને પીડિતને સારવાર મળી તેની નોંધ લ્યે. નહિતર મોરબી જિલ્લા N.S.U.I. દ્વારા આશ્ચર્યજનક પ્રોગ્રામ અથવા તો કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવામા આવશે. તેમ ભાવનિક મૂછડિયા- પ્રમુખ, મોરબી જિલ્લા N.S.U.I.ની યાદીમાં જણાવાયું છે.

- text

- text