માળીયાના વેજલપર ગામે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

- text


માળીયા : માળીયા તાલુકાના વેજલપર ગામે વાડી વિસ્તારમાં રહી ખેત મજૂરી કરતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વેજલપર ગામે બાબુલાલ જાદવજીભાઈ સંઘાણીની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા રાજુભાઇ ઉર્ફે રાકેશભાઈ કેમાભાઈ ભીલના પત્ની રંગીતાબેન ઉ.19 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં મૃતક રંગીતાબેનના હજુ પાંચ માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. હાલ માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text