નવલખી બંદરે દરિયાના મોજાની થપાટની બાજ નમી જતા બે યુવાનોના મૃત્યુ

- text


મોરબી : માળીયા તાલુકાના નવલખી બંદરે ગઈકાલે દરિયામા બાજ(શિપ)માં કામ કરી રહેલા બે યુવાનોનું મોજાની થપાટ લાગતા બાજ(શિપ) નમી જતા દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નવલખી બંદર ઉપર સંજયસિંહ રાજેન્દ્રસિંહ રાજપૂત અને રવિન્દ્રકુમાર સત્યદેવ યાદવ નામના શ્રમિકો દરિયામાં બાજ (શિપ)મા કામ કરતા હતા તે વેળાએ દરિયામાં અચાનક મોજું આવતા બાજ નમી જતા બાજ ઉપર રહેલા બન્ને શ્રમિક યુવાનો દરિયામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનવા અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text